
૧૫ મી ઓગસ્ટ કે ૨૬ મી જાન્યુઆરી આવે ત્યારે પણ કદી
આપણે એ વિચારીએ છીએ કે આપણી રાષ્ટ્રભક્તિને જાગૃત કરવામાં ફિલ્મી ગીતો કેટલો
મોટો ભાગ ભજવે છે? ક્યારેય પણ ફિલ્મી ગીતકારોને આપણે એવું સન્માન આપી શક્યા છીએ જેના
તેઓ હક્કદાર છે? 'કાબુલીવાલા' ના ''અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન,
તુઝ પે દિલ કુરબાન...'' માંની પંક્તિઓ ''તેરે દામન સે જો આયે ઉન હવાઓ કો સલામ,
ચુમ લુ મૈં ઉસ જુબાં કો જિસ પે આયે તેરા નામ...’' સાંભળતા વતનથી દુર વસતા
સંવેદનશીલ ભાવકની આંખ ભીની થઇ જ જાય. પણ મન્ના ડેએ ગાયેલા તે ગીતના રચયિતા
કવિ પ્રેમ ધવનને કેટલા શ્રોતાઓ યાદ કરતા હશે?
પ્રેમ ધવને જ મનોજ કુમારની 'શહીદ'ના ગીતો પણ લખ્યા હતા. 'શહીદ'ની સ્મૃતિ તાજી થતાં જ '' મેરા રંગ દે બસંતી ચોલા....', 'અય વતન, અય વતન, હમ કો તેરી કસમ, તેરી રાહો મેં જાં તક લૂટા જાયેંગે, ફૂલ ક્યા ચીઝ હૈ, તેરે કદમો પે હમ, ભેટ અપને સરો કી ચઢા જાયેંગે.....' અને ''પઘડી સંભાલ જત્તા......'' જેવાં ગીતો પણ દિલના દરવાજે દસ્તક દેવા માંડે. એ જ પ્રેમ ધવને 'હમ હિન્દુસ્તાની'નું ટાઈટલ ગીત ''છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દૌર મેં લિખેંગે મિલકર નઈ કહાની, હમ હિન્દુસ્તાની...'' લખ્યું હતું એ વાતની મુકેશની સાથે સાથે એ ગાયન ગાતા કેટલા રસિકજનોને ખબર હશે?
કે પછી 'જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા....'' એ 'સિકંદરે આઝમ'નું ગૌરવવંતુ ગાન કવિવર રાજેન્દ્ર કૃષ્ણની રચના છે એ વિગત પણ કેટલા જાણતા હશે? અથવા વધારે યોગ્ય રીતે કહેવું હોય તો એમ પણ કહી શકાય કે કેટલા એ વાતની દરકાર કરતા હશે? અરે, જૂના ગીતો છોડો (છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની!) પણ આજના સમયમાં એ. આર. રહેમાને બંકિમચંદ્રએ લખેલા બંગાળીને આપણા રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ' ને હિન્દીમાં ''ઓ માં તુઝે સલામ...'' એમ કહીને કેટલું સુંદર ગાયું છે? પણ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જે નારા ઉપર દેશના અસંખ્ય દૂધમલ જવાનો ફના થઇ ગયા હતા એ સૂત્ર અને એ સમગ્ર ગીતની એટલી અદ્ભુત હિન્દી આવૃત્તિ લખનાર આજના શાયર મેહબૂબ છે એ જાણવાની પણ કાળજી કેટલા રાખતા હશે?
પ્રેમ ધવને જ મનોજ કુમારની 'શહીદ'ના ગીતો પણ લખ્યા હતા. 'શહીદ'ની સ્મૃતિ તાજી થતાં જ '' મેરા રંગ દે બસંતી ચોલા....', 'અય વતન, અય વતન, હમ કો તેરી કસમ, તેરી રાહો મેં જાં તક લૂટા જાયેંગે, ફૂલ ક્યા ચીઝ હૈ, તેરે કદમો પે હમ, ભેટ અપને સરો કી ચઢા જાયેંગે.....' અને ''પઘડી સંભાલ જત્તા......'' જેવાં ગીતો પણ દિલના દરવાજે દસ્તક દેવા માંડે. એ જ પ્રેમ ધવને 'હમ હિન્દુસ્તાની'નું ટાઈટલ ગીત ''છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દૌર મેં લિખેંગે મિલકર નઈ કહાની, હમ હિન્દુસ્તાની...'' લખ્યું હતું એ વાતની મુકેશની સાથે સાથે એ ગાયન ગાતા કેટલા રસિકજનોને ખબર હશે?
કે પછી 'જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા....'' એ 'સિકંદરે આઝમ'નું ગૌરવવંતુ ગાન કવિવર રાજેન્દ્ર કૃષ્ણની રચના છે એ વિગત પણ કેટલા જાણતા હશે? અથવા વધારે યોગ્ય રીતે કહેવું હોય તો એમ પણ કહી શકાય કે કેટલા એ વાતની દરકાર કરતા હશે? અરે, જૂના ગીતો છોડો (છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની!) પણ આજના સમયમાં એ. આર. રહેમાને બંકિમચંદ્રએ લખેલા બંગાળીને આપણા રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ' ને હિન્દીમાં ''ઓ માં તુઝે સલામ...'' એમ કહીને કેટલું સુંદર ગાયું છે? પણ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જે નારા ઉપર દેશના અસંખ્ય દૂધમલ જવાનો ફના થઇ ગયા હતા એ સૂત્ર અને એ સમગ્ર ગીતની એટલી અદ્ભુત હિન્દી આવૃત્તિ લખનાર આજના શાયર મેહબૂબ છે એ જાણવાની પણ કાળજી કેટલા રાખતા હશે?
![]() |
| રાષ્ટ્રકવિ પ્રદીપજી |
![]() |
| પ્રદીપજી, લતા મંગેશકર અને સંગીતકાર સી. રામચન્દ્ર |
એવા માહૌલમાં પ્રદીપજીએ લખ્યું આ અમર ગીત... 'અય મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની...' અને લાલ કિલ્લા ઉપરથી લતાજીએ સી. રામચંદ્રના સંગીત નિર્દેશનમાં પહેલી વાર ગાયું, ત્યારે જવાહરલાલ નેહરુ સહીત સૌની આંખોમાંથી નિરંતર અશ્રુધારા વહી. પછી તો દેશ આખાએ પણ વીરોની શહિદી ઉપર આંસુ વહાવ્યા અને સૌએ જાણ્યું કે 'દસ દસ કો એક ને મારા...' અને 'જબ દેશ મેં થી દિવાલી, વો ખેલ રહે થે હોલી, જબ હમ બૈઠે થે ઘરો મેં, વો ઝેલ રહે થે ગોલી...'!
સૌ જાણતા હોય છે કે સૈનિકો કે કોઈપણ પ્રકારે આપણી સલામતી વ્યવસ્થામાં વ્યસ્ત એવા સુરક્ષાકર્મીઓ કેવી રીતે કાર્ય કરતા હોય છે.... પછી એ સેના હોય, પોલીસ કે પછી ફાયર બ્રિગેડના જવાનો હોય. પણ એ હકીકતને એટલી ચોટદાર રીતે કાવ્યાત્મક રજૂઆતથી મુકવાનું પરિણામ એ આવ્યું કે સમગ્ર રાષ્ટ્રની હતાશા ખંખેરાઈ ગઈ. લશ્કર પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ વધારે હકારાત્મક થયો. આપણે માત્ર શસ્ત્ર સામગ્રીની રીતે અદ્યતન થવાની જરૂર છે અને જવાનોની શૂરવીરતા બેમિસાલ છે એ સંદેશો પહોંચાડવામાં પ્રદીપજીના શબ્દોએ ત્યારે આપેલા ફાળાનું ઋણ કદી ઉતરી શકે એવું છે? (પ્રદીપજીનાં ‘જાગૃતિ’ સહિતનાં ગીતો અને અહીં ના ઉલ્લેખાયાં હોય એવાં રાષ્ટ્ભક્તિનાં કોઇ ફિલ્મી ગાન તમે ઉમેરી શકો છો?)
![]() |
| ગુલશન બાવરા |
એ જ દુલ્હનને મનોજકુમારની તે પછીની એક ફિલ્મ ‘ક્રાન્તિ’માં “અબ કે બરસ તુઝે ધરતી કી રાની કર દેંગે...”નો
આશાવાદ સંતોષ આનંદ કરાવે છે. દેખીતી રીતે જ ભારતને વિશ્વની ટોચની સત્તા બનાવવાનું એ
સપનું હતું; જે તેના ભવ્ય ભૂતકાળની હકીકત હતી. તો ભારતીયતાની પ્રશંસા કરતાં સાહિર લુધિયાન્વીએ દિલીપકુમારની
‘નયાદૌર’માં કરાવી હતી; જ્યારે તેમણે
લખ્યું, “યે દેશ હૈ વીર જવાનોં કા, અલબેલોં
કા મસ્તાનોં કા, ઇસ દેશ કા યારોં ક્યા કેહના યે દેશ હૈ દુનિયા કા ગેહના...”
![]() |
| આનંદ બક્ષી |
તાજેતરની ફિલ્મોમાં ‘ચક દે ઇન્ડીયા’ના ટાઇટલ ગીતમાં વાત ભલે હોકીની રમતની હતી. પરંતુ, પ્રત્યેક દેશવાસીને શુરાતન ચઢે એ રીતે સુખવિન્દરે છાતી ફાડીને ગાયું હતું. એ જ રીતે શહીદ ભગતસિંગના જીવન પરથી બનેલી બન્ને ફિલ્મોમાં પણ રાષ્ટ્રભક્તિનાં ગીતો હતાં જ. જેમ કે ‘ધી લીજેન્ડ ઓફ ભગતસિંગ’માં સમીરનું લખેલું “દેસ મેરે...” અને “૨૩ માર્ચ ૧૯૩૧ શહીદ’ માટે દેવ કોહલીનું “સાંસ હૈ જબ તલક અય વતન...” જેવાં ગીતો મળે છે, ખરાં.

એમ તો ‘રંગ દે બસંતી’ નામનું આમિરખાનનું
પિક્ચર પણ આવ્યું. પરંતુ, એકંદરે હવેનાં ચિત્રોમાં મોટેભાગે તો ‘ભારત’ને બદલે ‘ઇન્ડીયા’
બતાવવાના અને તે પણ ઉપલકીયા જ પ્રયત્ન હોય
છે. હવેના સર્જકો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જનાર શહેરી યંગસ્ટર્સને તથા ઓવરસીઝ સેટલ
થયેલા એન આર આઇની યંગ જનરેશનનને ધ્યાનમાં રાખીને પિક્ચરો બનાવતા હોઇ જો કોઇ શહીદ થયું
હોય તો તે રાષ્ટ્રભક્તિ! હવેના નિર્માતાઓ કદાચ “અય મેરે વતન કે લોગોં...” જેવું કોઇ દેશના લોકો માટેનું ગીત લખાવવાને બદલે પોતાના બેનરના
‘લોગો’ની જ માર્કેટવેલ્યુ વધાર્યા કરતા નથી લાગતા? સોચો ઠાકુર!!
























